ગુજરાતમા વધી રહ્યા છે ચોરી-લૂંટના કેસો – એક રાતમાં 8 મંદિરોમાં લૂંટ,

By: nationgujarat
29 Sep, 2024

નખત્રાણા તાલુકાના વડવા ભોપા ગામે એક રાતમાં જ આઠ-આઠ મંદિર અને એક દુકાનમાં ચોરીના બનાવથી નાના એવા ગામમાં સનસનાટી મચી જવા હતી. આ ઘટનાની જાણ થતાં જ  પોલીસ તંત્રમાં દોડધામ મચી જવા પામી છે.

મંદિરોમાંથી સોના-ચાંદીના છતરો અને દાનપેટીમાંથી રોકડ મળીને અંદાજે 60 હજારના મુદામાલની ચોરી કરી ગયા હતા. જ્યારે એક દુકાનમાંથી ચોરીનો પ્રયાસ કરાયો હતો. શનિવારે સવારે મંદિરે પુજા પરવા જતાં ચોરી થયાનું બહાર આવ્યું હતું. નાના એવા ગામમાં એક રાતમાં આઠ મંદિર અને દુકાનમાં ચોરીના પ્રયાસથી ભારે ચકચાર મચી જવા પામી હતી. ચોરીના બનાવ અંગે વડવા ભોપા ગામમાંથી કોઇ નખત્રાણા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા આવ્યા ન હોવાનું નખત્રાણા પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ વિજયભાઇ રાવલે જણાવ્યું હતું.

Related Posts

Load more